સિંગર કિંજલને પરિવારને સોંપવામાં આવી છે અને અશોક ચૌધરી સાથેના પ્રેમ લગ્નનો અંત આવ્યો છે. ચૌધરી સમાજે રવિવાર સુધી પરત સોંપવાની આપી હતી ખાતરી અને ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોએ બેઠક કરીને આ નિર્ણય લીધો છે, થોડા દિવસ અગાઉ જ કિંજલ રબારીએ કહ્યું હતુ કે તેણે ચૌધરી સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે.

[[$googlead]]

લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો અંત આવ્યો

આ મામલે રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્નને લઇ મોટી ચર્ચા કરાઈ હતી, કિંજલ રબારી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર પોતે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાની પોસ્ટ મૂકી હતી અને સાથે પોતાના વીડિયોમાં વકીલ સલાહ લઈ લડી લેવાની પણ વાત કરી હતી અને કિંજલે પોતાના ઈન્સ્ટા પર બીજા દિવસે પણ વીડિયો અપલોડ કર્યો હતો, જેમા તેણે કહ્યું હતું કે જયા સુધી સમાજનું નામ રોશન કર્યું ત્યાં સુધી હું સારી હતી.

અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કરતા વિવાદ થયો હતો

ગુજરાતમાં વધુ એક જાણીતી સિંગરે ભાગીને આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો. રાધનપુરના સીનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ બાબતે વિવાદ વધતાં કિંજલે કહ્યું હતું કે, મેં મારા પરિવાર અને પરિવારના સભ્યોને અમારા લગ્ન કરાવવા બાબતે મનાવવા ખૂબ પ્રયત્નો કર્યા હતાં. હાલમાં સોશિયલ મીડિયામાં મારા પતિ અશોક ચૌધરી સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. અમારા લગ્ન બાદ મારૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી.


  • Follow us on: